મનોજ ખંડેરિયાને અંજલિ-“રસિક” મેઘાણી
Mar 28th 2008rasikmeghaniકાવ્ય
મનોજ એ ગઝલ ગુર્જરીનો પ્રવાસી
મનોજ એ ગઝલના નગરનો નિવાસી
મનોજ એ કે જેણે ગઝલને સુવાસી
મનોજ એ કે જેણે ગઝલને વિકાસી
હવે જેના માટે નયન સૌ ઉદાસી
મનોજ એ નથી આપણી વચ્ચે આજે
મનોજ એ કે ગાયા છે ગીતો ગિરામાં
મનોજ એ હજી પડઘા જેના ઘટામાં
મનોજ એ કે જેનાથી પગલા ઉષાના
મનોજ એ કે જેના પ્રકાશિત જમાના
કવન માટે જેના બધાયે દિવાના
મનોજ એ નથી આપણી વચ્ચે આજે
મનોજ એ જે પ્યારો ધરા ગુર્જરીનો
મનોજ એ ગયો મર્મ દઈ જિંદગીનો
મનોજ એ કે સંદેશ જે સાદગીનો
મનોજ એ ના કેવળ જમાના લગીનો
ભરી રસ ગઝલમાં ગયો વાંસળીનો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે
ગઝલ એનું જીવન, ગઝલ એની ધારા
ગઝલ ઓથે કીધા જીવનભર ઉતારા
ગઝલની ઈમારતના ઉંચા મિનારા
સભામાં હતો એ દુબારા દુબારા
ગઝલને નવું જોમ આપી ગયો જે
મનોજ એ નથી આપણી વચ્ચે આજે
હતો પ્રેમી સૌનો, હતો સૌને પ્યારો
સહન જેણે કીધા સમયના પ્રહારો
હવે સાંજ ગોતે ને સઘળી સવારો
મનોજે કર્યો કયાં હવે છે ઉતારો
હજી પણ દિશામાં જે ગુંજે વિચારો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે
( ઉદેશ ના સૌજન્યથી )
No Comments »