એ કહેતા હતા મને- કૈલાસ પંડિત
Apr 12th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
- કૈલાસ પંડિત
“લયસ્તરો” ના સૉજન્યથી
http://layastaro.com/
No Comments »


Powered By