કોણે કહ્યું તને-‘ઝાકિર’ ઉપલેટવી
Apr 19th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
જકડેલ જણ છીએ અમે કોણે કહ્યું તને
વાતાવરણ છીએ અમે કોણે કહ્યું તને
ભીનપ અગર હો ભાવમાં, ભીંજાઇને જશે
સુકૂ ઝરણ છીએ અમે કોણે કહ્યું તને
આંખો થશે જો બંધ તો સપનામાં આવશું
દર્પણ લગણ છીએ અમે કોણે કહ્યું તને
તું લાગણીની હુંફ, તો આપીને જો જરા
દિલના કઠણ છીએ અમે કોણે કહ્યું તને
અવિરત વહે એ જળ છીએ,મોસમ હો કોઇપણ
શ્રાવણ લગણ છીએ અમે કોણે કહ્યું તને
જખ્મો મળ્યા જે અમને કહો તો ગણાવીએ
‘ઝાકિર’ અભણ છીએ અમે કોણે કહ્યું તને
‘ઝાકિર’ ઉપલેટવી
-‘વિદેશી ગઝલો’ સંપાદકઃ ‘દીપક” બારડોલીકરના સૉજન્યથી
No Comments »